તબાહી ના દ્રશ્યો: વાવાઝોડુ અસર: ગુજરાતમા કચ્છ્મા જખૌ પાસે ગઇકાલે બિપોરજોય વાવાઝોડુ ત્રાટકયુ હતુ. તેની અસર દેવભુમિ દ્વારકા,જમનગર,પોરબંદર અને મોરબી જિલ્લા પર પણ થઇ હતી. ત્યારે કયા વિસ્તારોમા આ વાવાઝોડાને લીધે શું નુકશાની થઇ છે તે જોઇએ.
તબાહી ના દ્રશ્યો
બિપોરજોય વાવાઝોડામા પોરબંદરથી લઇને દેવભુમિ દ્વારકા,જામનગર,મોરબી અને કચ્છ સુધી ભારે પવન ફૂંકાયો હતો. એવામા ભારે પવનને લીધે ઘણી જગ્યાએ નુકશાની થઇ હતી.
ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ‘બિપરજોય’ વાવાઝોડું ટકરાતા રાજ્યના 9 તાલુકાના 442 જેટલા ગામો મા ભારે પ્વન અને વરસાદ ને લીધે અસર થઇ હતી. કચ્છના ભુજ, માંડવી, લખપત, નલિયા, દ્વારકાના ઓખા, પાટણના રાધનપુર, બનાસકાંઠાના દિયોદર અને વાવ તાલુકામાં અને મોરબીમાં ‘બિપોરજોય વાવાઝોડાની વધુ અસર જોવા થઇ હતી. જોકે માંડવી સહિત કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હજુપણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાના કારણે આ તાલુકામાં ઘણા બધા વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થઈ ગયા છે.

વાવાઝોડામા ઈલેકટ્રીસીટી ના વિજપોલ ને ઘણુ નુકશાન ગયુ હતુ અને અનેક જગ્યાએ હજારો વિજપોલ પડી જવાથી અનેક ગામડાઓમા અંધારપટ છવાયો હતો.

ઘણી જગ્યાએ ભારે વરસાદ ને લીધે રસ્તાઓનુ ધોવાણ થયુ હતુ.

અંજારમાં ભારે પવનને લીધે પતરાં ઉડવાથી વીજ ટ્રાન્સફોર્મમાં અટકી ગયા હતા. જો કે આનાથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.



વધુ અપડેટ માટે WhatsApp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |